________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૨૧
(૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોના લોલુપી, પરિગ્રહમાં આસક્ત, આરંભ કરનારા, વેષધારી તે ગુરુ નથી. તેથી કુદેવ છે, ને અનાયતન છે.
(૩) હિંસાના આરંભની પ્રેરણા કરનાર, રાગદ્વેષાદિ દોષોને વધારનાર, સર્વથા એકાંત પ્રરૂપણા કરનાર શાસ્ત્રો તે કુશાસ્ત્ર ધર્મરહિત છે, તેથી અનાયતન છે.
(૪) દેવી, ક્ષેત્રપાળ આદિ દેવોને વંદન કરનાર, માન્યતા માનનાર અનાયતન છે. તે કુદેવના ભક્ત છે.
(૫) કુગુરુને સેવનારા, ભક્તિ કરનારા ધર્મથી રહિત છે તે કુગુરુના ભક્ત છે તેથી તે અનાયતન છે.
(૬) મિથ્યાશાસ્ત્રને ભણનારા, તેની સેવા ભક્તિ કરનારા, એકાંતી, ધર્મનાં સ્થાન નથી તેથી તે કુશાસ્ત્રના ભક્ત છે તેથી અનાયતન છે.
આ પ્રકારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની સેવા ભક્તિ કરનારા એ છયે કુભક્તોમાં ધર્મ નથી. તેથી અનાયતન હોવાથી તેનો ત્યાગ કર્તવ્ય છે. તેથી સમ્યગ્દર્શનની વિશુદ્ધિ થાય છે.
(ભાવપાહુડ ગાથા ૧૩૩ નો અર્થ અને ભાવાર્થ)
હવે કહે છે કે જીવનું તથા ઉપદેશ કરવાવાળાનું સ્વરૂપ જાણ્યા વિના સર્વે જીવોના પ્રાણોનો આહાર ડ્ય-આ પ્રકારે દેખાડે છે:
दसविहपाणाहारो अणंतभवसायरे भमंतेण। भोयसुहकारणहूँ कदो य तिविहेण सयल जीवाणं ।। १३४।।
दशविधप्राणाहारः अनन्त भवसायरे भ्रमता। भोगसुखकारणार्थं कृतश्च त्रिविधेन सकलजीवानां ।। १३४।।
ભમતાં અમિત ભવસાગરે, તે ભોગસુખના હેતુએ, સહુ જીવ-દશવિધપ્રાણનો આહાર કીધો ત્રણ વિધે. ૧૩૪
અર્થ:- હે મુને! તે અનંત ભવસાગરમાં ભ્રમણ કરતાં કરતાં સકલ સસ, સ્થાવર જીવોના દશ પ્રકારના પ્રાણોનો આહાર ભોગસુખના માટે મન, વચન, કાયાથી ર્યો.
ભાવાર્થ- અનાદિ કાળથી જિનમતના ઉપદેશ વિના અજ્ઞાની થઈને તે ત્રણ-સ્થાવર જીવોના પ્રાણોનો આહાર ર્યો. તેથી હવે જીવોનું સ્વરૂપ જાણીને જીવોની દયા પાળ, ભોગઅભિલાષ છોડ. આ ઉપદેશ છે. ૧૩૪
૧ અમિત = અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com