________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૨૦૩
નિરંતર થતી રહે છે. તે જન્માંતરથી ચાલી આવે છે, ફરી જન્મ થતાં જ તત્કાલ પ્રગટ થાય છે. તેના નિમિત્તથી જીવ કર્મોનો બંધ કરી સંસારવનમાં ભ્રમણ કરે છે. તેથી મુનિઓને ઉપદેશ છે કે હવે આ સંજ્ઞાનો અભાવ કરો. ૧૧૨
હવે કહે છે કે બાહ્ય-ઉત્તર ગુણની પ્રવૃત્તિ પણ ભાવ શુદ્ધ કરીને કરવી :
बाहिरसयणत्तावणतरुमूलाईणि उत्तरगुणाणि। पालहि भावविशुद्धो पूयालाहं ण ईहंतो।। ११३।।
बहिः शयनातापनतरुमूलादीन् उत्तरगुणान्। पालय भावविशुद्धः पूजा लाभं न ईहमानः।। ११३।।
‘તરૂમૂલ, આતાપન, બહિ: શયનાદિ ઉત્તરગુણને તું શુદ્ધ ભાવે પાળ, પૂજાલાભથી નિઃસ્પૃહ૫ણે. ૧૧૩
અર્થ - હે મુનિવર ! તું ભાવથી વિશુદ્ધ બનીને પૂજા-લાભાદિકને ઇચ્છયા વિના બાહ્ય શયન આતાપન, વૃક્ષમૂળયોગ ધારણ કરવા ઇત્યાદિ ઉત્તર ગુણોનું પાલન કર.
ભાવાર્થ - શિયાળામાં બહાર ખુલ્લા મેદાનમાં સૂવું-બેસવું, ગ્રીષ્મકાળમાં પર્વતના શિખર પર સૂર્ય સન્મુખ બેસી આતાપન યોગ ધરવો, વર્ષાઋતુમાં વૃક્ષ નીચે બેસી યોગ ધારણ કરવો કે, જ્યાં વરસાદનાં ટીપાં વૃક્ષ ઉપરથી ટપકીને શરીર પર પડે. આમાં કંઈક પ્રાસુકનો પણ સંકલ્પ છે અને હરકત ઘણી છે. એ બધા સહિત ઉત્તર ગુણ છે તેનું પાલન પણ ભાવ શુદ્ધ કરીને કરવું. જો ભાવશુદ્ધિ વિના કરે તો તત્કાલ પરિણામ બગડ અને ફળ કંઈ ન મળે માટે ભાવશુદ્ધિ કરીને કરવાનો ઉપદેશ છે. પણ એમ ન જાણવું કે આને બાહ્યમાં કરવાનો નિષેધ કરે છે. પરંતુ તેમને પણ કરવું અને ભાવ પણ શુદ્ધ કરવા એ આશય છે. કેવળ પૂજા-લાભ આદિ માટે કે પોતાની મોટાઈ બતાવવા માટે કરે તો કંઈ ફળની પ્રાપ્તિ નથી. ૧૧૪
હવે તત્ત્વની ભાવના કરવાનો ઉપદેશ કરે છે -
भावहि पढमं तच्चं बदियं तदियं चउत्थं पंचमयं। तियरणसुद्धो अप्पं अणाइणिहणं तिवग्गहरं ।। ११४ ।।
भावय प्रथमं तत्त्वं द्वितीयं तृतीयं चतुर्थं पंचमकम्। त्रिकरणशुद्धः आत्मानं अनादिनिधनं त्रिवर्गहरम्।। ११४ ।।
૧ તરૂમૂલ = વર્ષાકાળે વૃક્ષનીચે સ્થિતિ કરવી તે. ૨ બહિઃશયન = શીત કાળે બહાર સૂવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com