________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૬૩
भावेण होइ लिंगी ण हु लिंगी होइ दव्वमित्तेण। तम्हा कुणिज्ज भावं किं कीरइ दव्वलिंगेण।। ४८।। भावेन भवति लिंगी न हि भवति लिंगी द्रव्यमात्रेण।। तस्मात् कुर्या: भावं किं क्रियते द्रव्यलिंगेन।। ४८।। છે ભાવથી લિંગી, ન લિંગી દ્રવ્યલિંગથી હોય છે; તેથી ધરો રે! ભાવને, દ્રવ્યલિંગથી શું સાધ્ય છે? ૪૮
અર્થ:- લિંગી હોય છે તે ભાવલિંગથી જ હોય છે, દ્રવ્યલિંગથી લિંગી (મુનિ) થવાતું નથી એ તો પ્રગટ છે. માટે ભાવલિંગ જ ધારણ કરવું. દ્રવ્યલિંગથી શું સિદ્ધ થાય છે?
ભાવાર્થ- આચાર્ય કહે છે કે આથી વધારે શું કહેવું? ભાવલિંગ વિના મુનિ (લિંગી) નામ જ હોતું નથી. કેમકે એ તો પ્રગટ છે કે ભાવ શુદ્ધ ન દેખે ત્યારે લોકો જ કહે છે કે શાનો મુનિ છે? કપટી છે. દ્રવ્યલિંગથી કંઈ સિદ્ધિ નથી. તેથી ભાવલિંગ જ ધારણ કરવા યોગ્ય છે. ४८
હવે આ વાતને દઢ કરવા માટે દ્રવ્યલિંગ ધારણ કરનારને ઉલટો ઉપદ્રવ થયો તેનું ઉદાહરણ કહે છે:
दंडयणयरं सयलं डहिओ अभंतरेण दोसेण। जिणलिंगेण वि बाहू पडिओ सो रउरवे णरए।। ४९।। दण्डक नगरं सकलं दग्ध्वा अभ्यन्तरेण दोषेण।
જિનસિંકોના વીદુ: પતિત: સ: રૌરવે નરવ્હેપા ૪૧ દંડકનગર કરી દગ્ધ સઘળું દોષ અત્યંતર વડે, જિનલિંગથી પણ બાહુ એ ઊપજ્યા નરક રૌરવ વિષે. ૪૯
અર્થ - જુઓ, બાહુ નામના મુનિ બાહ્ય જિનલિંગ સહિત હતા તો પણ અત્યંતર દોષથી સમસ્ત દંડક નામના નગરને આગ લગાડી અને સપ્તમ પૃથ્વીના રૌરવ નામના બિલમાં પડ્યો.
ભાવાર્થ:- દ્રવ્યલિંગ ધારણ કરી કંઈક તપ કરે તેથી થોડું સામર્થ્ય વધે ત્યારે નાનું એવું કારણ મળતાં ક્રોધથી પોતાને અને બીજાને ઉપદ્રવ કરે. તેથી દ્રવ્યલિંગ ભાવ સહિત ધારણ કરવું જ શ્રેષ્ઠ છે. જ્યારે કેવળ દ્રવ્યલિંગ તો ઉપદ્રવનું કારણ થાય છે. તેનું ઉદાહરણ બાહુમુનિનું બતાવ્યું છે. તેની કથા આવી છે:
દક્ષિણ દિશામાં કુંભકારકટક નગરમાં ઠંડક નામના રાજા હતા. તેને બાલક નામે મંત્રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com