________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવપાહુડ)
૧૪૫
હવે ફરી કહે છે કે હે જીવ! તે આ લોકમાં સર્વ પુલનું ભક્ષણ કર્યું છે તો પણ તું તુપ્ત થયો નહિ:
गसियाई पुग्गलाइं भुवणोदरवत्तियाइं सव्वाइं। पत्तो सि तो ण तितिं 'पुणरुत्तं ताइं भुजंतो।। २२।।
ग्रसिताः पुद्गलाः भुवनोदरवर्तिनः सर्वे। प्राप्तोऽसि तन्न तृप्तिं पुनरुक्तान तान भुंजानः।। २२।।
ભક્ષણ કર્યા તે લોકવર્તી પુદ્ગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. ૨૨
અર્થ- હે જીવ! તે આ લોકના પેટાળમાં પુદગલોનો સ્કંધ જેટલો જણાય છે તે બધાને ભક્ષણ ર્યો અને તેમને પુનરૂક્ત અર્થાત્ ફરી ફરી ભોગવ્યાં છતાં તને તૃપ્તિ થઈ નહિ. ૨૨
ફરી કહે છે:
तिहुवणसलिलं सयलं पीयं तिण्हाए पीडिएण तुमे। तो वि ण तण्हाछेओ जाओ चिंतेह भवमहणं।। २३ ।।
त्रिभुवनसलिलं सकलं पीतं तृष्णाया पीडितेन त्वया। तदपि न तृष्णाछेदः जातः चिन्तय भवमथनम्।।२३।।
પીડિત તુષાથી તે પીધા છે સર્વ ત્રિભુવનનીરને, તોપણ તૃષા છેદાઈ ના; ચિંતવ અરે ! ભવછેદને. ૨૩
અર્થ - હે જીવ! તે આ લોકમાં તરસની પીડાથી ત્રણે લોકનું બધું જળ પીધું તો પણ તૃષાનો નાશ ન થયો, અર્થાત્ તારી તરસ છીપી નહિ. તેથી તું આ સંસારનું મથન અર્થાત્ તારા સંસારનો નાશ થાય એ પ્રકારે નિશ્ચય રત્નત્રયનું ચિંતન કર.
ભાવાર્થ- સંસારમાં કોઈપણ રીતે તૃપ્તિ-સંતોષ નથી. જેવી રીતે પોતાના સંસારનો અભાવ થાય એવી રીતે ચિંતન કરવું, અર્થાત નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરવાં, સેવન કરવાં-આ ઉપદેશ છે. ૨૩
૧ મુદ્રિત સંસ્કૃત પ્રતિમાં ‘પુનરુવ' પાઠ છે જેનું સંસ્કૃતમાં ‘પુનરૂપ' છાયા છે. ર ત્રિભુવનનીર = ત્રણલોકનું બધું પાણી. ૩ ભવછેદ = ભવનો નાશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com