________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
૧૨૩
નિર્ચથ દીક્ષા છે કહી ષ સંહનનમાં જિનવરે; ભવિ પુરુષ ભાવે તેને; તે કર્મક્ષયનો હેતુ છે. ૫૪
અર્થ - જિનમાર્ગમાં છ સહુનનવાળા જીવને પ્રજ્યા હોવાનું કહ્યું છે. તે નિગ્રંથ સ્વરૂપ છે, સર્વ પરિગ્રહથી રહિત યથાકાત સ્વરૂપ છે. ભવ્ય પુરુષ જ આ દીક્ષાની ભાવના કરે છે. આ પ્રકારની પ્રવ્રજ્યા કર્મક્ષયનું કારણ કહી છે.
ભાવાર્થ- વજ ઋષભનારાચ આદિ છ પ્રકારે સંહના શરીરના કહ્યા છે. તે સર્વમાં જ દીક્ષા હોવાનું કહ્યું છે. જે ભવ્ય પુરુષ છે તેઓ કર્મક્ષયનું કારણ જાણીને તેને અંગીકાર કરો. દઢ સંહનન વજઋષભ આદિ છે તેમને જ દીક્ષા હોય અને અસંતૃપાટિક સહુનનમાં દીક્ષા ન હોય એવું નથી. આ પ્રકારે નિગ્રંથરૂપ દીક્ષા તો અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનનમાં પણ હોય છે. ૫૪
હવે ફરી કહે છે:
तिलतुसमत्तणिमित्तसम बाहिरग्गंथसंगहो णत्थि। पव्वज्ज हवइ एसा जह भणिया सव्वदरसीहिं।। ५५।।
तिलतुषमात्रनिमित्तसम: बाह्यग्रंथसंग्रहः नास्ति। प्रव्रज्या भवति एषा यथा भणिता सर्वदर्शिभिः ।। ५५ ।।
તલતુષપ્રમાણ ન બાહ્ય પરિગ્રહ, રાગ તત્સમ છે નહીં; -આવી પ્રવ્રજ્યા હોય છે સર્વજ્ઞજિનદેવે કહી. ૫૫
અર્થ:- જે પ્રવ્રજ્યામાં તલના ફોતરા માત્રના સંગ્રહનું કારણ આ પ્રમાણે ભાવરૂપ ઇચ્છા અર્થાત્ અંતરંગ પરિગ્રહ અને તે તલના ફોતરા માત્ર બાહ્ય પરિગ્રહનો સંગ્રહ નથી હો તો આ પ્રકારની પ્રવ્રજ્યા, જે પ્રકારની સર્વજ્ઞદેવે કહી છે તે છે, અન્ય પ્રકારે પ્રવ્રજ્યા નથી એવો નિયમ જાણવો જોઈએ. શ્વેતામ્બર આદિ કહે છે કે અપવાદ માર્ગમાં વસ્ત્રાદિકનો સંગ્રહ સાધુને કહ્યો છે, તે સર્વજ્ઞના સૂત્રમાં તો કહ્યું નથી. તેમણે કલ્પિતસૂત્ર બનાવ્યા છે તેમાં કહ્યું છે તે કાળદોષ છે. ૫૫
હવે ફરી કહે છે:
उवसग्गपरिसहसहा णिज्जणदेसे हि णिच्च अत्थइ। सिल कट्ठे भूमितले सव्वे आरुहइ सव्वत्थ।। ५६ ।।
૧
છેડ઼ = પાઠાન્તર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com