________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(
0)
મુનિમાર્ગની સ્થિતિ, પુરુષાર્થ (ઉપાદાન) ની તૈયારી અને વૈરાગ્યદશા કેવી હોય તેના મહિમાની ખબર નથી, તેથી તે અન્યથા કલ્પના કરે છે.
વળી કોઈ કહે કે, શરીરની શોભા, લજ્જા તથા શાતાશીલીયાપણું આદિ રાગ-કષાય પોષવા માટે વસ્ત્ર-પાત્ર રાખતા નથી, પણ સંયમના નિભાવ માટે વસ્ત્ર–પાત્ર રાખે છે તો તે નિગ્રંથમાર્ગમાં ન્યાયથી પ્રવેશ કરી શકે તેમ નથી. આ ગાથામાં કહ્યું કે જિંદગીભર સ્નાન નહીં; એમાં મુનિ થવાની ભાવનાનું બળ કેટલું છે કે દેહ પ્રત્યે અણુ માત્ર પણ મમતા નહિ, પછી દેહની શોભા શી ? “ ઉકરડે પુષ્પ હોય નહીં,” તેમજ મડદાનાં સામૈયાં કે આદર હોય નહીં.
મુનિને અચેતન એવા આ શરીરનો આદર ન હોય; શરીર તો મડદું છે, તેવા અચેતન ધર્મવાળા દેહાદિ પ્રત્યે મુનિ ઉદાસીન હોય છે. અંશમાત્ર પણ દેહ પ્રત્યે જેને રાગ કે આસક્તિ નથી, તે દેહને સ્નાનાદિ વડે સારું રાખું, તેની સેવા કરું એવો વિકલ્પ કેમ કરે ? શરીરને સ્નાન તે મડદાંને સામૈયા જેવું છે. જગત દેહાદિની ઉપાધિમાં સગવડતાનો આનંદ તથા સુખની કલ્પના કરે છે, અને મુનિ અશરીરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com