________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૮)
વિશુદ્ધિ, ઉજ્જવલતા વધારે છે તે સહજ-આનંદ દશા છે તેની સામે જોયું કે બાહ્ય નિમિત્તને જોવાં ? દેહાધ્યાસ રહિત આત્માનો જે સનાતન નિગ્રંથ મુનિ-માર્ગ છે તે જ ત્રિકાળ વસ્તુસ્થિતિ છે. સાધારણ બુદ્ધિવાળા જીવોને એમ લાગે કે આ તો જાના જમાનાની વાતો હોયે રાખે છે. પણ બાહ્ય નિમિત્તની પાછળનો પરમ પવિત્ર પુરુષાર્થ આ વીતરાગ સાધક દશાની ભૂમિકામાં કેવો હોઈ શકે, તેનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેનાં બધાં પડખાં વિરોધરહિત સમજાય છે. કાળ બદલાઈ ગયો, અને સ્વચ્છેદી લોકો વીતરાગ માર્ગથી બીજાં માનવા લાગ્યા. જેમ જેમ લોકોમાં શાતાશીલતા અને દેહની મમતા વધતી ગઈ તેમતેમ વીતરાગ જિનશાસનના નામે સ્વચ્છ શિથિલાચાર ખૂબ ફાલ્યો; અને તેને પોષણ આપવાનાં નિમિત્ત વસ્ત્ર–પાત્ર આદિ પરિગ્રહ વધ્યો; મુનિ-ધર્મને પણ ગૃહસ્થ જેવો માન્યો. શ્રી મહાવીર ભગવાન તીર્થકર દેવ પછી અમુક વર્ષે બાર વર્ષનો મોટો દુષ્કાળ પડ્યો અને તેમાં શિથિલાચારથી બે પક્ષો પડી ગયા.
લોકો પક્ષપાતબુદ્ધિ છોડીને મધ્યસ્થપણે તત્વને વિચારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com