________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૩). છે, તે સમાન બીજાં જગતમાં મોટું માન કર્યું હોય? તથા કોઈ જીવને દૂરથી દેખીને સહેજે વાણીમાં શબ્દ નીકળ્યો કે એ જીવ અપાત્ર છે તો તેથી જગતમાં મોટું અપમાન કર્યું સમજવું? સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની વાણી એક જીવને ઉદ્દેશી ખાસ કહે કે, આ જીવ સુપાત્ર છે. અહો, ધન્ય! એના જેવું જગતમાં મોટું માન બીજાં કયું? જ્યારે ગૌતમ ગણધરદેવ સમવસરણમાં (ધર્મસભા) માં પેઠા, અને માનસ્થંભ ઓળંગીને પ્રભુ સન્મુખ થયા કે પ્રભુનો દિવ્ય ધ્વનિનો ધોધ છૂટયો. તેમાં પ્રથમ વાકય “અહો! ગૌતમ ભવ્ય છે” એમ સાક્ષાત્ પ્રભુની પ્રથમ દિવ્યધ્વનિમાં પ્રથમ માન ગૌતમને મળ્યું.
તીર્થકર ભગવાનને પહેલાં કેવળજ્ઞાન પ્રગટયું હતું, છતાં છાસઠ દિવસ સુધી વાણી છૂટી ન હતી. સર્વજ્ઞ ભગવાન તો વીતરાગ છે, તેમને ઈચ્છા નથી. પણ ભાષાના રજકણોનો કુદરતી યોગ એવો હતો કે લોકોત્તર પુણવંત ગણધર પદવી પામવા લાયક જીવનું ઉપાદાન જ્યાં સુધી પ્રભુ-સન્મુખ નહોતું ત્યાં સુધી તીર્થકર ભગવાનની વાણી બીજાને નિમિત્ત થઈ નહીં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com