________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૦૪). સો ઇન્દ્રો, લાખો દેવ વગેરે અસંખ્યાત પ્રાણીઓ પ્રભુના દર્શને તથા વાણી સાંભળવા આવે છે, ઇન્દ્રો પણ ભગવાનની ભક્તિ કરે છે, છતાં છાસઠ દિવસ સુધી વાણી ન છૂટી અને ગૌતમ ગણધર પ્રભુ સન્મુખ આવતાં જ દિવ્યધ્વનિ છૂટી, માટે હું મોટો એમ તેને (ગૌતમને ) અભિમાન ન આવ્યું, પણ પ્રભુ પાસે દીનતાથી– નમ્રતાથી વિનયમાં ઢળી પડયા છે, અને તે જ ક્ષણે સાતમી અપ્રમત્ત ભૂમિકાનિર્વિકલ્પદશા અને ચોથું (મન:પર્યય ) જ્ઞાન પ્રગટય અને ગણધરદેવની પદવી મળી.
- સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માથી નીચલી પદવી ગણધરદેવની છે, તે મળી છતાં પોતે અતિ નિર્માનતા વર્ણવે છે કે, “ધન્ય પ્રભુ'! આપની વાણીને પણ વંદન કરું છું; ધન્ય પ્રભુ! આપનો વીતરાગમાર્ગ ! શું પૂછવું! બધાં સમાધાન થઈ ગયાં. ધન્ય પ્રભુ! અપૂર્વ ઉપકારી આપનાં વચન, ભવ્ય જીવોને આત્મામાં ટચ થતાં સર્વથા સંદેહ ટળી જાય છે, અને તેઓ નિર્માનપણે આત્મામાં ઠરી જાય છે. તે અનંત ઉપકારનું વાણી દ્વારા શું વર્ણન કરીએ ! આ ગણધરદેવને ઉત્કૃષ્ટ સાધકદશા વર્તે છે. પાંચમું જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com