________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬ર) હોવાથી, ભૂલરૂપે પરિણમતો (થતો ) નથી; પણ નિર્દોષ જ્ઞાતાપણે અભૂલ સ્વભાવના ભાનમાં ટકીને ભૂતકાળની અવસ્થાનું તથા નિમિત્તનું જ્ઞાન કરું છું. જ્ઞાની જે સંયોગો દેખે તેમાં હર્ષ શોક કરતા નથી. નિર્દોષ જ્ઞાન સ્વભાવનું લક્ષ રાખીને જ્ઞાનીને અલ્પ રાગદ્વેષમાં જોડાવું થાય છે તેની મુખ્યતા નથી; પણ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી છું તે જ મુખ્ય છે. એવું વિચારી નિઃશંક સ્વભાવમાં સાચો અભિપ્રાય લાવો કે, રાગદ્વેષ મોહરૂપે હું નથી; કારણ કે તે મારો સ્વભાવ નથી, માટે અંશમાત્ર કષાય કરવો નથી; રાગદ્વેષ ન થવા દઉં એટલે કે જાગૃત જ્ઞાન
સ્વભાવની બેહદતામાં સ્થિર રહું એવો અભિપ્રાય ટકાવી રાખવો તે જ જ્ઞાનની ક્રિયા છે. અલ્પ રાગનો ભાગ થાય છે તે જાદી વાત છે. પણ અમારે તો રાગદ્વેષ કરવા પડે એવું માને તેમાં તો ઘણું અહિત છે. હું બીજાઓને સમજાવી દઉં, મારા વડે બીજા સમજે છે, મારી સલાહથી બધું સારી રીતે નભે છે, એમ પરની વ્યવસ્થા પ્રત્યે કર્તુત્વ કે મમત્વ રાખવું એવી માન્યતા તે મહાપાપ છે, પરનું કાંઈપણ કાર્ય કરી શકું એ ઊંધો અભિપ્રાય છે, તે અભિપ્રાયમાં અનંતી આસક્તિ છે માટે તે અભિપ્રાય પ્રથમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com