________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૦) માન્યતા) બદલવાની જરૂર છે.
સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે, અને અજ્ઞાનભાવ પરમાં ઠીક અઠીક કલ્પના કરીને સંયોગની ઉપાધિ પામે છે. મારા તરફથી કોઈને દુઃખ ન થાઓ, એવી સમજણમાં સર્વ સમાધાન છે. એવો અભિપ્રાય હોય તો, નીતિ ન્યાયનું વર્તન થયા વિના રહે નહિ. કુટુંબમાં કોઈની ભૂલ થઈ જાય તો જ્ઞાનમાં (સમજણમાં) સમાધાન કરવું જોઈએ. પતિમાં ભૂલ હોય તો જેમ સ્ત્રી જતું કરે છે, સહન કરે છે, તેમ કદી સ્ત્રી ભૂલ કરે તો તેનો પતિ જરાપણ સહન ન કરે એ ન્યાય નથી. લૌકિકનીતિવહેવારમાં સજ્જનતાનો દાવો કરનારા પોતાના માનેલા સિદ્ધાંત ખાતર ઘણું સહન કરે છે, અને એ નીતિની ખાતર બીજાં બધું જતું કરે છે; તો લોકોત્તર આત્મધર્મમાં વહેવારુ સજ્જનતા તો હોય જ. આખો સંસાર કઈ સ્થિતિએ છે તે વિવેકથી અને સમજણની ધીરજથી જેને જાણતાં આવડે છે તે બીજાને દોષ, દુઃખ આપવાના ભાવ કરે નહિ.
પ્રશ્ન- આપની વાત સાચી છે, પણ ઘરસંસારમાં રહીને એમ થવું અસંભવ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com