________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૮) જ્ઞાન અને તેનું જ વલણ રહે ત્યાં અલ્પ પણ ક્રોધ, માન, માયા, લોભ આદરણીય ન જ હોય. વર્તમાન પુરુષાર્થની નબળાઈથી અલ્પ કષાયની અસ્થિરતા થાય તે જુદી વાત છે, પણ અમે ગૃહસ્થી છીએ માટે અમારે થોડા પણ રાગદ્વેષ કરવા જોઈએ, તો જ બધા સરખા રહે, એ અભિપ્રાય મિથ્યા છે. કારણકે પૂર્વના પુણ્ય વિના બહારની સગવડતા મળતી નથી. ખરેખર તો બહારની સગવડતા છે એમ કહેવું તે કલ્પના માત્ર છે, છતાં છે એમ કદાચિત લોક વ્યવહારથી માની લ્યો, પણ હું ઘર, સંસાર, દેહાદિને આમ જ ઠીક રાખી શકું, બધાને દાબમાં રાખી શકું, પર મને મદદગાર છે, હું પરને મદદ કરી શકું છું એ માન્યતા અજ્ઞાન છે, મિથ્યાદર્શન શલ્ય .
પરદેશી રાજા, મહાન રાજ્યનો સ્વામી કડક સત્તાપ્રિય હતો; છતાં એવો વખત આવ્યો કે રાણીએ ઝેર ખવડાવ્યું. પોતે જાણ્યું છતાં સ્ત્રી ઉપર ક્રોધ ન કર્યો અને જાણ્યું કે આ દેહનો અંત આ પ્રકારે જ લાગે છે. હું કોઈ પણ વસ્તુનો સ્વામી નથી, સ્ત્રીએ મારા શરીરથી લાભ ન દીઠો તેથી તેણે તેનું વૈષરૂપ કામ કર્યું, હું મારું જ્ઞાનરૂપ કામ કરું. ઝેર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com