________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭) ક્રિયા કરી શકતો નથી. પુણ્યાદિ પર ચીજની મદદની ઓશિયાળવાળો નથી, એકલો પૂર્ણજ્ઞાન આનંદ સ્વભાવી છું, એવી પવિત્રદશા પ્રગટ કરવાનો જે સ્વલક્ષની સ્થિરતારૂપ પુરુષાર્થ તે પોતાથી થાય છે. તેમાં પર ચીજ મને મદદ કરે-અનુકૂળ થાય એવી પરાધીનતા નથી. કારણકે દરેક આત્માનો જ્ઞાન સ્વભાવ સદાય સ્વતંત્ર છે, પૂર્ણ છે. શુદ્ધ સ્વભાવની દષ્ટિમાં અંશ માત્ર રાગ નથી, પર–આલંબન નથી, છતાં સ્વભાવની પૂર્ણ સ્થિરતા ન કરી શકે ત્યાં નિર્દોષ દેવ-ગુરુ-શાસ્ત્ર તથા વીતરાગી ધર્મ પ્રત્યે વિનય-ભક્તિરૂપે વલણ રહે છે. તે ગુણની રુચિનું વલણ છે. તેમાં અલ્પ પણ રાગ-દ્વેષ આદરણીય નથી તો પછી પરનું કરવું-ન કરવું તેની વાત કય પંથી હોય? કારણ કે કોઈ આત્મા પરનું કાંઈ કરી શકતો નથી. માટે જેને ઠીક કરવું છે, સ્વાધીનપણે ટકી રહે તેવું સાચું હિત કરવું છે, તેણે પોતે નિર્દોષ જ્ઞાનસ્વભાવ વડે સમજવું જોઈએ કે દોષથી ગુણ પ્રગટ ન થાય, માટે વસ્તુ સ્વરૂપને ત્રિકાળ અબાધિત ન્યાય વડે સમજો.
આત્મા સદાય જ્ઞાન-આનંદસ્વરૂપ નિર્દોષ સાક્ષી છે. હું જ્ઞાતા છું, પૂર્ણ છું, તેની પ્રતીતિ, તે સ્વાધીન પૂર્ણસ્વરૂપનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com