________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૬) તો તેનાથી ગુણ કેમ પ્રગટે ? માટે આત્માનું હિત કરવું હોય તો મારો સ્વભાવ બેહદ સમતા, ક્ષમારૂપ છે તેવો નિર્ણય કરવો.
સંસાર, દેહાદિ પરદ્રવ્યની વ્યવસ્થામાં કોઈનું ધાર્યું થતું નથી, દરેક વસ્તુનું કાર્ય સ્વતંત્ર છે. કોઈ ચીજ પરને આધીન નથી. વળી કોઈ સાથે રાગદ્વેષ વડે તે તે ચીજ અનુકૂળ થતી નથી, પણ પૂર્વનાં પુણ્ય હોય તો તે તેના કારણે અનુકૂળ દેખાય છે, પણ કોઈ ચીજ, કોઈ આત્મા અન્ય કોઈને વશ નથી.
કોઈ કહે “વ્યાપક પ્રેમ વડ જગત વશ થાય છે, માટે વિશ્વ ઉપર પ્રેમ કેળવવો જોઈએ. તો એમાં એ સિદ્ધાંત આવ્યો કે ઘણો રાગ કરું તો બધાં મને અનુકૂળ થાય, ત્યારે મને શાંતિ થાય, પણ તેમ બનતું નથી કારણ કે બધા સ્વતંત્ર છે. માટે પર દ્રવ્યથી ધર્મ અને શાન્તિ નક્કી કરનારા પરને આધીન સમાધાન કરવા માગે છે, તેના બધા સિદ્ધાંત જૂઠા જ છે. નિર્દોષ મોક્ષમાર્ગમાં તો પર સંયોગની અપેક્ષારહિત, રાગદ્વેષ, વિષયકષાય રહિત ત્રિકાળી જ્ઞાયક છું, પરથી ભિન્ન, પૂર્ણપવિત્ર જ્ઞાનપણે છું, રાગાદિપણે નથી, દેહાદિની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com