________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૦) નિરાકુળ આનંદરસનો રસિયો તે કલુષતાને વશ કેમ થાય? ન જ થાય.
આત્મા છું, સત્ ચૈતન્યમય છું, શુભાશુભ રાગાદિ પ્રકૃતિ તથા દેહાદિ સર્વાભાસ રહિત સાક્ષી– જાણનારો જ છું એટલે તે પ્રકૃતિ મને બાધક નથી. એવા સાધકને કદી ક્રોધાદિનો અંશ આવે પણ તેની જ્ઞાન-શ્રદ્ધાને અસર ન થાય. અહીં એવા ઉપેક્ષાભાવની ભાવના છે, ઉદયભાવમાં અટકું નહી એવી ભાવના છે. જેમ સત્તાપ્રિય અને પુષ્યવાળો મનુષ્ય હોય તે બીજાને દબાવવાની કળા આબાદ જાણતો હોય અને બધાં પડખાં સરખાં હોય તે નબળાઓને ઊભા થવા ન દે; તેમ આ ચૈતન્ય પ્રભુમાં બેહદ સામર્થ્ય જ્ઞાનબળ ભર્યું છે, તે પુણ્યપાપની પ્રકૃતિને દબાવીને ટાળી દે એવી સ્વસત્તાનું વીર્ય સાધકને જાગ્રત હોય છે. પૂર્વ પ્રકૃતિની હૈયાતી દેખાય તેનો હું સાક્ષી છું, જ્ઞાતા છું એટલે કે તે ક્રોધાદિને થવા ન દઉં, એવા અકષાય શુદ્ધ સ્વરૂપમાં સાવધાન રહું; એવી ઉત્કૃષ્ટ સાધકદશા ક્યારે આવશે એવી ભાવનાનું રટણ અહીં કર્યું છે.
“માન પ્રત્યે તો દીનપણાનું માન જો ” લોકોત્તર વિનય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com