________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯) છૂટીને સ્વસંવેદનમાં સ્થિર થઈ જાય છે, ત્યાં વધવંદક ભાવનો વિકલ્પ પણ હોતો નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે કે-છઠ્ઠી ગુણસ્થાનકે મુનિપણાનો આચાર, હેતુ, અને નિયમ તથા ષટુ આવશ્યક આદિ ક્રિયાના શુભ વિકલ્પ અકષાયના લક્ષે રહે છે. જાઓ તો ખરા ! કેટલી ભાવના ! ભાવના ભાવતાં વીતરાગ જ્ઞાની પ્રત્યે કેટલી અનન્ય ભક્તિ રહે છે, અને કહે છે કે હે નાથ “તે ધર્મો સદામિ, પત્તિયામિ, રોયેમિ, ફાસેમિ, પાલેમિ’ જિનેન્દ્ર વીતરાગનો ધર્મ હું શ્રદ્ધ છું, તેની રુચિ કરું છું, અંતરમાં સ્પર્શના એટલે જાણું છું અને આરાધું છું. જિનઆશાના વિચાર વડે મારો સાધક સ્વભાવ કેમ વધે એ ભાવના છે. પૂર્ણ યથાખ્યાતચારિત્ર જ એક ઉપાદેય છે. શુભાશુભ જોગની પ્રવર્તના તે મારો સ્વભાવ નથી, તેનાથી ગુણ થતો નથી. એવું ભાન છે છતાં શુભ જોગ થયા વિના રહે નહિ. નિચલી ભૂમિકામાં પુરુષાર્થમાં વર્તતા નિમિત્તરૂપ શુભ જોગ સાથે રહે છે.
સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો” અહીં ગુણ પ્રગટાવવાની વાત છે. જેટલા અંશે મન સંબંધીના જિનઆજ્ઞા વિચારાદિ આલંબન છૂટે તેટલી સ્વરૂપસ્થિરતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com