________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૮) પરિણામરૂપ ઉપયોગમાં છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તવું હોય છે, તેમાં શ્રવણ, શિષ્યને ઉપદેશ, આહાર, વિહાર, દેવગુરુધર્મની ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે સંયમના હેતુએ થાય છે. હું સ્થિર છું, જ્ઞાતા છું, કેવળ અસંગ છું એ દષ્ટિએ તેમાં વર્તવાનો પુરુષાર્થ વર્તે છે, તેની સાથે શુભયોગની પ્રવર્તના થાય તે પણ જિન વીતરાગ ભગવાનની આજ્ઞાને આધીન વર્તે છે.
હું પૂર્ણ અવસ્થાપણે થયો નથી તેથી જિન ભગવાને સાધકનાં લક્ષણો જે કહ્યાં છે તે આજ્ઞાનું આરાધન કરવામાં મારું પ્રવર્તન થાય છે, કેમકે જિન શાસન વીતરાગ ચારિત્રદશામાં નિર્દોષપણે વર્તવાનો મારો ભાવ છે. આ ભગવતી પૂજ્ય દિવ્ય જિનદીક્ષાનું બહુમાન છે. “નમો લોયે સવ્વ સાહૂણં” સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મામાં એકત્વપણે રહેનારા સાધુ, પંચ પરમેષ્ઠિમાં વંદનીક છે, અનંત જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલા લોકોત્તરમાર્ગ (મોક્ષમાર્ગ) માં જેઓ પ્રવર્તે છે, તેમનું બહુમાન થવું જોઈએ.
સાતમી ભૂમિકાએ આરાધ્ય-આરાધકનો, તથા હું મુનિ છું વિગેરે વિકલ્પ, તથા વ્રતાદિના શુભ પરિણામોનો વિકલ્પ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com