________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(ર૭) સ્વરૂપની સ્થિરતામાંથી બહાર નીકળવાનો વિકલ્પ પણ ન આવે, મેં ઘણું સહન કર્યું એવો વિકલ્પ પણ ન આવે; અને જેને એમ થાય કે મેં ઘણું સહન કર્યું તેને પોતાના સામર્થ્યનું ભાન નથી. લોકોને વાંચન શ્રવણ મનન કરવું નથી પણ વાતો કરવી છે, નિવૃત્તિ લઈને આવી અપૂર્વ ભાવનાનો ભાવ તો કોઈ લાવો? શ્રીમદ્ અહીં સ્વરૂપની સ્થિરતાનું ઘોલન કરે છે, પોતાના ભાવને મલાવે છે. એકેક શબ્દમાં અપૂર્વતા છે, મંગળિકમાં જ અપૂર્વતા છે. અપૂર્વ સાધકદશા (મુનિપર્યાય) પ્રગટ થવાની ભાવના ભાવે છે. ૪. સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો,
અપૂર્વાા પાા
આવી ભાવના બીજી ગાથામાં હતી. હવે “ સંયમના હેતુથી યોગ પ્રવર્તના” એ ભાવના છે, તેનો અર્થ એ છે કે ઈન્દ્રિય દમન માટે પૂર્વના શુભાશુભ સંસ્કારની અસ્થિરતા ટાળવા માટે, પૂર્ણ શુદ્ધ અકષાય દષ્ટિના લક્ષ, શુભ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com