SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૩૦) સહેજે વધતી જાય. અને તેટલા અંશે આજ્ઞા આદિના આલંબનનો વિકલ્પ છૂટી જાય છે. “તે પણ ક્ષણ-ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં તેનો અર્થ એ છે કે-જ્ઞાનમાં જેમ અંતરસ્થિરતા વધતી જાય તેમ નિમિત્તનો વિકલ્પ તૂટી જાય છે. સાતમે ગુણસ્થાને ભગવાન શું કહે છે એ આદિ આજ્ઞાનું અવલંબન સહેજે છૂટી જાય છે. મનના પરિણામનું ક્ષણે-ક્ષણે ઘટવું અને અંતરમાં સ્થિરતા સ્વરૂપરમણતાનું વધવું થાય છે. જુઓ તો ખરા ! શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં ખાટલા ઉપર બેસીને કેવી ભાવના ભાવી છે, આ જાતનો સિદ્ધાંતિક ટુકડો તો કોઈ લાવો ! અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો” પ્રભુ શું કહે છે-એ વિકલ્પનું પણ અવલંબન છૂટી જાય, અને એકલી જ્ઞાનસ્વરૂપ સમાધિમાં સ્થિરતા રહે એવો અપૂર્વ અવસર કયારે આવશે એ ભાવના અહીં ભાવી છે. આવી આત્મસ્વરૂપની સ્વકાળદશા, નિગ્રંથ વીતરાગ સ્થિતિધારક મુનિપદ, આ દેહે પ્રાપ્ત થાય એવો અપૂર્વ અવસર (શુદ્ધ પર્યાયની નિર્મળતા, સ્થિરતા) કયારે આવશે? એમ ચૈતનની જાતમાંથી ભાવના ભાવવી જોઈએ. પોતાના શુદ્ધ સ્વરૂપની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008209
Book TitleApurva Avsar Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size511 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy