________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૪) લક્ષ સહિતની છે. પૂર્ણ સાધ્ય માટે નગ્ન મુનિદશા ચારિત્ર અંગીકાર કરવું જોઈએ.
કોઈ કહે કે-ગૃહસ્થ વેશે કેવળજ્ઞાન અને મુનિપણું પ્રગટે તો શું હરકત છે? ઉત્તર- એ વાત જૂઠી છે; કારણ બાહ્યઅભ્યતર નિગ્રંથપણાની ભાવના માટે એટલે કે અભ્યતર પુરુષાર્થથી રાગદ્વેષ કષાયનો નાશ થતાં બાહ્ય નિમિત્તનો ત્યાગ સહેજે થઈ જાય છે. ગૃહસ્થાવાસમાં કષાયનો ત્યાગ સર્વથા થઈ શકે નહિ માટે મુનિપણું હોવું જ જોઈએ, તે પણ વસ્ત્રરહિત હોય તે જ મુનિપણું કહેવાય છે.
(તા. ૧-૧ર-૩૯) ત્રીજી ગાથામાં દર્શનમોહ ટળતાં દેહાદિથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન વર્તે છે એમ કહ્યું, અને તે શુદ્ધાત્મબોધ સહિત હાસ્ય, શોક, રાગાદિ અસ્થિરતાનો અને પૂર્વ ભૂલના નિમિત્તથી આવેલ ચારિત્ર મોહકર્મના ઉદયનો ક્ષય (અભાવ) જ્ઞાનની એકાગ્રતાવડે થાય છે, એમ ચારિત્રને આવરણ, ચારિત્ર ઘાતક પ્રકૃતિનો અભાવ થતાં સાતમી ભૂમિકા પ્રગટે છે; અને પછી વારંવાર છઠ્ઠી–સાતમી ભૂમિકા પલટાયા કરે છે. ધ્યાતા, ધ્યાન, ધ્યેયનો વિકલ્પ તૂટીને જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com