________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૩) રહે તે પરાધીનતા છે. તેથી જ્ઞાની કહે છે કે, સંસારીજનોને સુખ જોઈએ, પણ સુખનો માર્ગ (સ્વાધીનતાનો ધર્મ) ભૂલી પરાધીનતાનું કાર્ય કરે, પછી તેનું ફળ સ્વાધીનતા કયાંથી પ્રગટે ? વિકારીરાગરૂપ કારણમાંથી અવિકારી-વીતરાગ કાર્ય પ્રગટે નહીં. માટે પ્રથમ સાચી સમજણથી આત્માની રુચિ કરવાની જરૂર છે. અહીં સમ્યકદર્શન સહિત પૂર્ણ શુદ્ધ સ્વરૂપની રુચિ, પુરુષાર્થ અને તે “અપૂર્વ અવસર ની પ્રાપ્તિની ભાવના છે.
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.”
ચેતના” નામે આત્માનો ગુણ છે. તેની મુખ્ય બે શક્તિ છે.
(૧) દર્શન ચેતના - તેનો વ્યાપાર નિર્વિકલ્પ, નિરાકાર, સામાન્ય છે. (૨) જ્ઞાન ચેતના:- તેનો વ્યાપાર સવિકલ્પ, સાકાર, વિશેષ છે. દર્શનચેતના ગુણનું લક્ષણ સામાન્ય સત્તામાત્ર અવલોકન એટલે સ્વરૂપની સન્મુખતા સમયે ઉત્સુકતારૂપ વલણ; (તેમાં સ્વ-પરનો ભેદપૂર્વક બોધ નથી.) સ્વસત્તાનું નિર્વિકલ્પણે દેખવું તે છે.
હવે “દર્શન ઉપયોગ” નો અર્થ કહેવામાં આવે છે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com