________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭ર) અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો :આત્મામાં બેહદ સામર્થ્ય હોવાથી તેના બધા ગુણ અનંત શક્તિવાળા છે. જેમ ચણામાં સ્વાદ હતો, તો તે ચણામાંથી પ્રગટ થયો; તેમ આઠ કર્મની ધૂળ (પ્રકૃતિ ) ના લેપથી અનંત આનંદ, દર્શન, જ્ઞાનશક્તિ ભૂલી આત્મા ઊંધો પરિણમ્યો છે, તે અનંત સ્વાધીનતાનું ભાન કરીને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત આનંદને શક્તિમાંથી વ્યક્ત (પ્રગટ) કરી શકે છે; પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી પરાધીન છે, તેથી દુઃખી છે. પરાધીનને સ્વપ્ન પણ સુખ હોય નહીં.
જ્ઞાની ધર્માત્મા એક પરમાણુથી માંડીને ઇન્દ્ર, ચક્રવર્તીપદ મળે તેવા કે કોઈ પ્રકારના પુણ્યની પરાધીનતાને ઈચ્છતા નથી. તેથી જ સ્વાધીનતા (મોક્ષસ્વભાવ) પ્રગટે છે. શુભ વિકલ્પ પણ જ્ઞાની ઈચ્છતા નથી, કારણ કે શુભ પરિણામોનું અવલંબન તે મોહકર્મના અનંત રજકણોના ઉદયનો સ્વીકાર છે. તે કર્મભાવની ઉપાધિથી સ્વાધીન તત્ત્વ ન જ પ્રગટે.
પુણ્યના પરમાણુઓનું અવલંબન તથા તેનો સંબંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com