SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૭૧) ઇચ્છે છે પણ સુખનો સાચો ઉપાય કરતા નથી; દુઃખને ઈચ્છતા નથી પણ દુઃખનાં કારણો છોડતા નથી. દુઃખનું બીજું નામ અશાંતિ છે. તે અશાંતિનું કારણ અજ્ઞાન અથવા દર્શનમોહ-મિથ્યાત્વ છે, સ્વરૂપની ભૂલ છે. તે ઊંધી માન્યતારૂપ અજ્ઞાનનો અભાવ સમ્યક્દર્શન અને સમ્યગ્રજ્ઞાન વડે થાય છે. પુણ્ય-પાપ અને રાગ-દ્વેષરૂપ ઉપાધિની અસરથી ભિન્ન એવી સ્વરૂપસ્થિરતા સત્ય પુરુષાર્થ વડે પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેથી નિરાકુળ સુખદશા પ્રગટે છે. નિરાકુળતા એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિરહિત શાંતિ. આધિ:- મનના શુભાશુભ વિકલ્પોઅધ્યવસાય. તે વિકારી કાર્ય એટલે ચૈતન્યની અસ્થિરતા છે. વ્યાધિ – શરીરની રોગાદિ પીડાને વ્યાધિ કહેવાય છે. ઉપાધિ - સ્ત્રી, ધન, પુત્ર, આબરૂ વગેરેની ચિંતા કરવી તેને ઉપાધિ કહેવાય છે. આ ત્રણે પ્રકાર- (આધિ, વ્યાધિ, ઉપાધિ) ની આકુળતા રહિત સહજાનંદરૂપ સુખદશા છે, તેવા અનંત સમાધિસુખમાં અનંત સિદ્ધ ભગવાન આત્મા બિરાજે છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008209
Book TitleApurva Avsar Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size511 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy