________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૪) એક પદાર્થ સંબંધી જ્ઞાનનો વિકલ્પ છૂટીને બીજા પદાર્થ તરફ વલણ થયું અને હજી બીજા પદાર્થ સંબંધી બોધ થયો નથી, તે વચ્ચેનો સામાન્ય વલણરૂપ (દર્શનમાં ચેતવારૂપ ) ઉપયોગ છદ્મસ્થ જીવ આશ્રયે છે; સિદ્ધ ભગવાન તથા કેવળજ્ઞાની સર્વજ્ઞને એક જ સમયે અનંત સામર્થ્યસ્વરૂપ દર્શનજ્ઞાન ઉપયોગ છે. તેમાં વિશ્વના સમસ્ત જીવ-અજીવ દ્રવ્યોના સામાન્ય વિશેષ સર્વભાવો સમય માત્રામાં સહેજે જણાય છે. નિશ્ચયથી કેવળ સ્વને જ જાણે છે, દેખે છે. સર્વજ્ઞને અનંત દર્શન જ્ઞાનનું બેહદ સામર્થ્ય છે, અનંત સુખ છે, બધા ગુણોને ટકાવી રાખનાર અનંત વીર્ય (બળ) નામનો ગુણ છે; એવા અનંત ગુણોવાળી પૂર્ણ પરમાત્મદશા પ્રગટ થાય એવો
અપૂર્વ અવસર' કયારે આવે, તેની અહીં ભાવના છે. || ૧૯ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં,
કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
અપૂર્વા ૨૦ ા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com