________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૬) લાગુ ન થાય એમ સમજવું.
“સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો” એટલે ચૈતન્યરૂપ સિદ્ધ આત્મા, તેનું સ્વક્ષેત્ર તે અસંખ્યાત પ્રદેશ છે; તે સ્વ-રાજમાં, શિવસુખમાં શોભતોદીપતો છેલ્લા મનુષ્ય દેહ જેવડા આકારનો અરૂપી ઘન ચૈતન્યમૂર્તિ પોતાના સ્વરૂપમાં-સિદ્ધક્ષેત્રમાં નિશ્ચલ નિરાબાધપણે સદાય સ્વતંત્રપણે ટકી રહે છે; ફરીને જન્મ ધારણ કરતો નથી; એ ત્રિકાળી નિયમ છે.
“સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો ” એટલે પોતાના આત્મામાં સ્થિત રહેવું; શ્રી આનંદધનજીનું એક કાવ્ય છે કે નઈ સિદ્ધT મેના [ જ્યાં સિદ્ધોનો મેળો છે] જે ક્ષેત્રમાં અનંત સિદ્ધ જીવો છે, ત્યાં એક આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યમાં મળી જતું નથી; પણ
સ્વતંત્રપણે સ્વ-સત્તા ટકાવીને નિત્ય રહે છે. કેવી રીતે? તો કહે છે કે -
“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.” મોક્ષપર્યાય શક્તિપણે હતી તેનો ઉત્પાદ થયો, એટલે કે, મોક્ષસ્વભાવ પ્રગટ થયો. તે પરમાત્મપદ પ્રગટયું તે આદિ થઈ, હુવે અનંતકાળ સુધી સિદ્ધ મોક્ષશાશ્વતપદે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com