________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૪) ચૈતન્યભગવાન આત્મા ઉપર આઠ કર્મ પુદ્ગલના પરમાણુઓનો બંધ હતો ત્યાં સુધી તે સંસારમાં હતો, પણ તેનો જ્ઞાન-ધ્યાનથી નાશ કર્યો, તેથી પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપે ચૌદ રાજલોકના છેડે સિદ્ધશીલા આઠમી પૃથ્વી ઉપર બિરાજે છે. | ૧૮ાા
હવે આત્માનો સિદ્ધપર્યાય પ્રગટે તે સમયે કેવી દશા હોય છે, તે જણાવે છે. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી,
ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.
અપૂર્વ ા ૧૯ાા પૂર્વ પ્રયોગાદિ કારણોમાં એક ન્યાય ઘટે છે. અનાદિ કાળનો અજ્ઞાનભાવ હતો તેને ટાળતાં સમ્યક્દર્શન (આત્મજ્ઞાન) દશા પ્રગટે છે; અને ત્યારે પૂર્ણ શુદ્ધતા (મોક્ષસ્વભાવ) ની અવસ્થા પ્રગટ કરવા માટે સ્વ-સ્વરૂપે વર્તવાનો એટલે કે જ્ઞાનની સ્થિરતા-રમણારૂપ પુરુષાર્થ જીવ પ્રગટ કરે છે. આ ગુણશ્રેણીરૂપ અંતરંગ જ્ઞાનમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com