________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૫ )
આત્માને ઓળખાવે તે મહાકલંક છે. પુણ્યાદિ સંયોગ હોય તે પણ પવિત્ર ચૈતન્યમૂર્તિ ઉપર અશુચિય ગૂમડાં છે; ચૈતન્ય નિરોગી તત્ત્વ છે, તેને કર્મની ઉપાધિવાળો ઓળખાવવાનો ધર્માત્માને ખેદ છે. ધર્માત્મા તો નિરંતર ભાવના ભાવે છે કે હું અશરીરી, મુક્ત દશાવાળો કયારે થઈ જાઉં. દેહાત્મબુદ્ધિવાળા જીવને પરવસ્તુમાં સુખબુદ્ધિ રહે છે, દેહાદિની મમતા તથા સગવડતા પોષવામાં જ પોતાનું જીવન માને છે, અને સર્વ શક્તિનો દુરુપયોગ કરે છે, ત્યારે ધર્માત્મા મુનિ જંગલમાં એકાકી, દેહની મમતારહિત વિચરે છે. કદી સિંહ આવીને આ દેહને ફાડી ખાઓ; કે દેહ છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, અથવા આ દેહનું ગમે તે થાઓ, તેથી મારા જ્ઞાનને અને સમાધિને બાધા નથી એમ તે ગણે છે. આવે અવસરે આત્માની અનંત શક્તિ પ્રગટ કરી જેઓ માલ કાઢી ગયા અને કાઢી જાય તેઓને ધન્ય છે. મનુષ્યદેહની તે સાર્થકતાને પણ ધન્ય છે. એમ ધર્માત્મા દેહની મમતા છોડી મુક્ત થવાની ભાવનાને બળવાન બનાવે છે. એક ક્ષણમાત્ર સંસારમાં રહેવાની કે દેહને રાખવાની તેને રુચિ નથી. પોતાના સ્વરૂપલક્ષે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com