________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૪) પ્રગટે છે.
ભગવાન આનંદઘન ચૈતન્યપ્રભુમાં એક પરમાણુમાત્રનો સ્પર્શ નથી, ઉપાધિનો અંશમાત્ર પણ નથી, એવું તેનું મૂળ સ્વરૂપ છે; માટે તે જાતની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વડે નિજપદ પ્રગટ થાય છે, એવો અપૂર્વ અવસર ક્યારે આવે? તેની અહીં ભાવના છે.
ધર્માત્મા પોતાને અબંધ, શુદ્ધ માને છે, અને સાથે તે જાતનો નિઃશંક અભિપ્રાય ટકાવી રાખવાનો પુરુષાર્થ વધારતા રહે છે. અશરીરી થવા માટે માત્ર મોક્ષની જ તેને અભિલાષા છે. તેથી સંસારના કોઈ પદાર્થની કે પુણ્યાદિની ઈચ્છા માત્ર તેને નથી. ઉપાધિથી પોતાને ઓળખાવવો પડે તે શરમ છે એમ ધર્માત્મા માને છે. ત્યારે અજ્ઞાની જીવ એવી રીતે પોતાનું અર્હત્વ વધારે છે કે હું સુંદર, હું પુણ્યવાળો, ધન, કુટુંબ, આબરૂવાળો છું, એ આદિ પ્રકારે પોતાને રૂડો માન્યા કરે છે.
આત્મા અતીન્દ્રિય, નિરાકુળ, શાંત, સમતાસ્વરૂપ, પરથી જુદો છે; તેને ભૂલીને ઉપાધિમાં સુખની કલ્પના કરે, અને પોતાની જાતથી, વિરુદ્ધ જડ કર્મની વિકારી અવસ્થાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com