________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૩)
પરમાણુનો સ્પર્શ નથી. તેને ભૂલીને આત્માને પુણ્યવાળો, રાગદ્વેષાદિ ચીકાશવાળો, સ્પર્શવાળો કે બંધનવાળો માનવો તે મિથ્યાદર્શનશલ્ય છે. આત્મા સ્વભાવે સિદ્ધ ભગવાન સમાન છે, તેથી અવિનાશી, શુદ્ધ ચૈતન્યમાત્ર જ્ઞાતા-દષ્ટા, પૂર્ણ-શાંતિ, સમતા અને આનંદમય શક્તિરૂપે છે; તે શક્તિરૂપ બેદ સ્વભાવ પૂર્ણપણે નિર્મળ થતાં એક પરમાણુમાત્રનો સંયોગી સંબંધ પણ રહેતો નથી, એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. આવા અબંધ સ્વભાવની યથાર્થ પ્રતીતિ જે આત્મામાં વર્તે, તેને એક રજકણમાત્રનો બંધ પાલવે નહીં. આ સમ્યક્દર્શનનું સ્વરૂપ છે. આવો નિઃશંક અભિપ્રાય ટકાવી રાખવાની શક્તિ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. હું સિદ્ધ સમાન શુદ્ધ, અબંધ છું; શુભ કે અશુભ કર્મના કોઈ પણ રજકણનો સંબંધ મારે નથી; એવી દષ્ટિથી પૂર્ણ થવાના લક્ષે સ્વરૂપનો ઉત્સાહ વધારે છે, અને એ દષ્ટિનું ઘોલન વધતાં સમ્યક્ત્વ સહિત અપ્રતિહતભાવે ચારિત્રની રમણતામાં (સ્થિર ઉપયોગમાં ) એકાગ્રતા વધતાં પરમાવગાઢ સમ્યક્ત્વ અને યથાખ્યાતચારિત્ર પ્રગટ થાય છે; ત્યારે નિશ્ચલ પૂર્ણ પવિત્ર વીતરાગ દશારૂપ શુદ્ધ સ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com