SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates (૮) પ્રથમ ગાથામાં અપૂર્વ અવસરની, બાહ્યઅત્યંતર નિગ્રંથપણાની અને સર્વ સંબંધનું બંધન છેદવાની ભાવના ભાવી આગળ વધે છે. “ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી ” સર્વ ભાવનો સાક્ષી જ્ઞાતા પરથી ઉદાસીન છે. ઉદ્દ= પ્રયત્નપણે જગતના બધા પરભાવોથી ઊંચા ભાવમાં; આસીન=બેસવું, તે સત્યાર્થપણે સંસારથી અનાસક્ત દશા. “સુખકી સૌલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. આદર, આ અઢારમા વર્ષના ભાવ વચન છે. ઉદાસીનતા એટલે મધ્યસ્થતા, સમભાવદશા. તે ગુણવડે જ સાધક આત્મસ્વરૂપ સ્થિરતાનો અભ્યાસ કરે છે; તે અધ્યાત્મની જનની છે કેમકે તેનાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એટલે તીર્થંકરના પુણ્ય, ઇન્દ્ર, ચક્રવર્તીના પુણ્યની ઋદ્ધિ, સ્વર્ગના સુખ તે બધા સંસાર (ઉપાધિ ) ભાવ છે, તેથી જ્ઞાનીને તે સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ છે. પુણ્ય-પાપ (શુભઅશુભ ) વૃત્તિ જે કાંઈ જ્ઞાનમાં દેખાય તે બધી મોહકર્મની વિકારી અવસ્થા છે, તે પરભાવોથી જ્ઞાનીને ઉપેક્ષાવૃત્તિ છે. મધ્યસ્થતા-સંસારભાવ (શુભાશુભભાવ) નો 99 Please inform us of any errors on [email protected]
SR No.008209
Book TitleApurva Avsar Pravachan
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, Sermon, & Rajchandra
File Size511 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy