________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૯ ) એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો.
અપૂર્વ શા ૧૭ ના જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મ એ પુદ્ગલ રજકણોનો સંયોગી સંબંધ હતો, તે અનાદિ પ્રવાહરૂપે હતાં, જૂનાં ટળે અને નવાં કર્મ બંધાય તે અનાદિનો પ્રવાહ અહીં અટકે છે. નવાં કર્મ બંધાવામાં નિમિત્ત કારણ મોહકર્મ છે. તે નિમિત્તનો પોતામાં સ્વીકાર કરી પોતાને ભૂલીને, સ્વરૂપમાં અસાવધાન થઈ, પુણ્ય-પાપ, રાગ, વગેરેમાં પોતાને ટકાવે એ અજ્ઞાનભાવ (બંધભાવ) છે. એ રીતે અજ્ઞાની જીવ નવાં શુભ-અશુભ કર્મ બાંધે છે.
આત્મા અબંધ છે એટલે મોક્ષસ્વભાવવાળો છે. તેને ભૂલીને બંધભાવમાં ટકીને પોતે અનંત દુઃખ પામે છે; પણ જ્યારે બધાં પડખાંથી વિરોધ ટાળીને સાચો અભિપ્રાય (સમ્યક્દર્શન) આત્મા પ્રગટ કરે ત્યારે પૂર્ણતાના લક્ષે સ્થિરતાનો પુરૂષાર્થ વધતાં વધતાં છેવટ મોહકર્મ ક્ષય થાય છે; અને જ્યારે કેવળજ્ઞાન પ્રગટે છે ત્યારે તેરમી ભૂમિકા “સંયોગી જિનેશ્વર”ની પ્રાપ્ત કરે છે. ચૌદમાં ગુણસ્થાનના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com