________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૭)
વલણ થયા વિના રહે નહીં. પુણ્ય-પાપ, દેહાદિનાં સર્વ સંસારી કાર્યો પોતાને આશ્રિત માનવા તે કર્તુત્વભાવ છે, ઉપાધિરૂપ બંધભાવ છે. આત્મા નિરાકુળ ચૈતન્ય આનંદમૂર્તિ છે. “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો” એ સિદ્ધપદ કયારે અને કેવી રીતે પ્રગટે એજ ભાવના અંતરંગમાં ખૂબ ઘોળાતાં ચારિત્રગુણનો વિકાસ થઈ વીતરાગતા પ્રગટે છે. સંસારી મોહી જીવ બાહ્ય ઉપાધિથી તથા ધર્મના નામે પાપાનુબંધી પુણ્ય વડે ફાલવા માગે છે;
ત્યારે જ્ઞાની એમ માને છે કે હું આનંદસ્વરૂપની સ્થિરતામાં ફાલું, એક પરમાણુ માત્રની ઉપાધિ રહેવા ન દઉં; એવા અબંધભાવે વીતરાગ દષ્ટિવડ સ્વરૂપની સાવધાની વધારે છે, અને અપૂર્વ સ્થિરતા ( જ્ઞાનની એકાગ્રતા) ને સાધે છે. એ પવિત્રતાની રમણતામાં દેહાદિ પરમાણુમાત્રનો સંબંધ ટળી જાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? તેની આ ગાથામાં ભાવના ભાવે છે. આ જાતની અંતરંગ ભૂમિકા પામ્યા વિના કોઈ પણ મોક્ષ સ્વભાવને પામે નહીં.
(તા. ૬-૧૨-૩૯) અહીં શુદ્ધ આત્મસ્વરૂપ કેમ પ્રગટ થાય તેની ભાવના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com