________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૬) સ્વરૂપમાં ઠર્યા છે, સંસારથી નિર્મમત્વ થયા છે.
- અજ્ઞાની જીવો સંસારમાં દેહાદિ વિષયોની આસક્તિ (રુચિ) માં રોકાયા છે. અને આ મેં કર્યું, હું આમ કરી શકું, મેં સુખી કર્યો, મારાથી આ બધું થાય છે, એવા-એવા પ્રકારે આત્માને અપરાધી તથા ઉપાધિવાળો, જડવાદી, પરાધીન અને પુદ્ગલનો ભિખારી તેઓ બનાવી દે છે. (પોતે જ બને છે.) તેઓને રાત્રે પણ સ્ત્રી, ધન, વ્યાપાર આદિનાં જ સ્વપ્નાં આવે છે.
જ્ઞાની ધર્માત્મા (શ્રીમ) ૨૯ મા વર્ષે તો અપૂર્વ અવસરની એવી ભાવના ભાવે છે કે, દેહાદિ ઉપાધિની પાત્રતા ટાળું, અને પૂર્ણ અસંગ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી અશરીરી થાઉં. પરમ તત્ત્વની ગાઢ રુચિ વધતાં સ્વપ્નાં પણ તે સંબંધીનાં જ આવે. રાત્રિ-દિવસ આત્માને જ દેખે, જાણે અને વિચારે: “હું અશરીરી થઈ જાઉં, મહાન સંત મુનિવરોના સત્સંગમાં બેઠો છું, મોક્ષની મંડળી ભેગી થઈ છે, નગ્ન નિગ્રંથ મુનિઓનાં ટોળાં દેખાય છે,” એ આદિ પ્રકારનાં જ જ્ઞાનીને સ્વપ્ન આવે.
જેને સંસારની રૂચિ છે, તેને તે જાતના વિચાર તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com