________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૫) ભૂલીને પરાશ્રિત ધર્મ માને તેને પરાણે કોણ સમજાવી શકે? પોતે ધીરજથી પોતાના આત્મગત પરિણામને ઓળખે અને અનાદિની ભૂલ ટાળે તો ગુણ (ધર્મ) થાય.
શ્રીમદ્ રાજચંદ્ર યુવાન વયે અપૂર્વ વૈરાગ્ય, ઉપશમ ભાવ સહિત મોક્ષપદની પ્રાપ્તિ માટે વિશાળ વીતરાગ સ્વરૂપની ભાવના કરી, બુદ્ધિનો સદુપયોગ કર્યો હતો.
વર્તમાન સાધારણ બુદ્ધિવાળા જીવો “આ જમાનો સ્વતંત્રતાનો છે, બુદ્ધિવાદનો છે, અમારું આમ માનવું છે, અમે ધાર્યું પાર પાડી શકીએ,” વગેરે ઘણા પ્રકારે સ્વચ્છેદથી ઘેલા થયેલા દેખાય છે. ઈંગ્લિશ ભણ્યો હોય તો તે પોતા વિષે ઘણા ડહાપણનું સ્થાપન કરે છે અને વડીલોને ગાંડા ગણે છે, તથા ધર્મનું હંબગ (ધતિંગ) લઈ બેઠા છે એમ બોલે છે. વળી જો કદી પુણ્યની અનુકૂળતા હોય તો સ્વચ્છંદતામાંખૂબ ફાલે; “હું પહોળો અને શેરી સાંકડી” એવી દશામની હોય છે. ત્યારે જ્ઞાની ભાવના ભાવે છે કે, હું પૂર્ણ, શુદ્ધ, અસંગ છું. પૂર્ણ પવિત્રતા પ્રગટ કરવાની ચિમાં સંસારની સચિને અવકાશ નથી. પરમાણુમાત્ર મારું નથી; એમ જ્ઞાની સ્વરૂપની ભાવનામાં નિશ્ચલ રોકાયાછે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com