________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૪) લોકો એકબીજાની ખબર પૂછે, ત્યારે જવાબમાં કહે કે આનંદ છે, અમને દુઃખ નથી, પણ ધીરો થઈને વિચાર કોણ કરે કે મહા મોહે આત્માના આનંદને લૂંટી લીધો છે, ક્રોધ, માન, માયા અને લોભથી ક્ષણે ક્ષણે સ્વની હિંસા અને અશાંતિ થાય છે. તે કોણ જુએ છે? જેમ કોઈ ખૂબ દારૂ પીને મળમૂત્રમાં પડયો–પડયો આનંદ માને છે તેમ આત્મજ્ઞાનથી રહિત મૂઢ જીવો પરવસ્તુમાં આનંદ માને છે.
કોઈ કહે છે કે અમે આત્માને દેહથી જુદો માનીએ છીએ, અને ધર્મક્રિયા કરીએ છીએ તો તે જૂઠું છે. જેને પોતાની રુચિ કે વર્તમાન પરિણામની ખબર નથી, તે ધર્મના નામે શુભભાવ કરે તો પાપાનુબંધી પુણ્ય બાંધે, અને સાથે-સાથે મિથ્યાત્વનું (ઊંધા અભિપ્રાયનું) અનંતું પાપ બાંધે.
પોતાના અનંત આનંદસ્વભાવને ભૂલીને, અનંત આનંદની ઊંધી અવસ્થામાં-એટલે કે દુઃખ, અશાંતિ, ક્રોધ, માન, માયા, લોભમાં-જે જીવ ટક્યો છે તે ક્ષણે ક્ષણે સ્વયં આત્માની ભાવહિંસા કરે છે, અનંતી અશાંતિમાં સુખની કલ્પના કરે છે તે પોતાની જ અનંતી હિંસા છે. પોતે પોતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com