________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૩) તથા ઈષ્ટ–અનિષ્ટપણાની કલ્પના કરીને તે રાગીદ્વષી થાય છે. આત્માને ભૂલીને પુણ્યાદિ પર ઉપાધિમાં સુખ માન્યું છે. જેવી માન્યતા એવી રુચિ, અને રુચિ તેવું વર્તન થયા વિના રહે નહિ. પોતામાં જ અનંત આનંદ ભર્યો છે તેનો વિશ્વાસ નથી, તેથી તે આનંદની ઊંધી અવસ્થા-દુઃખ તથા અશાંતિ છે જ. આત્મા સ્વયં સ્વતંત્ર આનંદસ્વરૂપ છે; તેની પ્રગટ અવસ્થા ન હોય ત્યાં તેની બીજી અવસ્થા દુઃખ પ્રગટરૂપે હોય જ. સ્વભાવ દુઃખપણે પોતાથી ન જ હોય, પણ જીવે પોતાને ભૂલીને પરનું મમત્વ કર્યું તેથી તે આનંદને ક્રોધ, માન, માયા અને લોભરૂપ અશાંતિપણે ઓગાળ્યો, એટલે સ્વાધીન સ્વરૂપનો ( જ્ઞાતાસ્વભાવનો) જીવે નિરોધ ર્યો.
સ્વભાવનું અનંત સુખ છોડીને પુણ્ય-પાપ, માન-અપમાનમાં પડી, “હું સુંદર છું, બીજાને આમ રાખતાં મને આવડે છે, હું બીજાને સુખી કરું-દુઃખી કરું, જીવાડું-મારું અથવા આમ વ્યવસ્થા રાખી દઉં, એમ જે માને છે તે ચેતના શાંતિસ્વરૂપને ભૂલે છે. જે પોતાને આધિન નથી એવા જડ સંસારની વ્યવસ્થા રાખવાનું માની રહ્યા છે તેઓ મહા ઉપાધિરૂપ અશાંતિને આનંદ માની લે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com