________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૧૪૧ )
વિચાર કર્યા કરે તો રુચિ વધે. તત્ત્વની યથાર્થ રુચિ થયા પછી સંસારનું વલણ રહે નહીં. મોક્ષની યથાર્થ રુચિ થયા પછી સ્થિરતાની ભાવના થાય, અને અનંત વીર્ય પ્રગટાવું એવો અપૂર્વ અવસર (સ્વકાળ દશા ) કયારે આવશે ?
આ તેરમી ભૂમિકામાં આત્માની પૂર્ણ શાંત સમાધિ ( બેહદ સુખદશા ) પ્રગટે છે. ૫૨માવગાઢ સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર, ઘાતી કર્મોનો નાશ થતાં પ્રગટે છે. ।। ૧૫।।
હવે, સોળમી ગાથામાં કેવળજ્ઞાનીને ચાર અઘાતિ કર્મો કેવાં હોય છે તે બતાવે છે:વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં,
બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુર્ષં પૂર્ણ મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ।।૧૬।।
તેરમી ભૂમિકામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્ય પ્રગટે છે. પણ હજી ચાર અઘાતિ કર્મ બળેલી દોરડી જેવાં વિધમાન છે પણ તે બાધક નથી. અઘાતી કર્મમાં શાતા-અશાતા (વેદનીય ) આદિ અલ્પ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com