________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૦) ટૂંકા વખતમાં વાંચી ગયા હતા. આખા જિનશાસનનું રહસ્ય તેમના અંતરમાં ભર્યું હતું. એવી વિશાળ અને તીક્ષ્ણ બુદ્ધિ તેમની હતી. પોતે લોક-પ્રસંગથી દૂર રહેવા માગતા હતા, અને નિરંતર સ્વરૂપની સાવધાનીનો વિચાર, શાસ્ત્રવાંચન, ઊંડું મનન કરતા હતા, તથા ભાવના ભાવતા હતા કે હું કયારે નિવૃત્તિ લઉં.
ધર્માત્મા પોતાની અંતરંગ સ્થિરતા વધ્યા વિના હુઠથી ત્યાગ કરીને ચાલી નીકળે નહીં. હુઠથી કાંઈ થતું નથી. પુરુષાર્થ વધતાં સહેજે મુનિપણાનો વિકલ્પ અને મુનિપણું આવે છે.
ધર્માત્મા ગૃહસ્થને અસ્થિરતાને કારણે શુભઅશુભ વૃત્તિ થઈ આવે પણ તેનો આદર નથી. દષ્ટિમાં સંસારનો અભાવ વર્તે છે; અને વૈરાગ્ય વધારતો મોક્ષની ભાવના ભાવે છે. જ્યાં રુચિ હોય
ત્યાં પુરુષાર્થ થયા વિના રહે નહીં. ધર્માત્માને નિવૃત્તિના જ વિચાર આવે, સ્વપ્નામાં પણ તેના જ વિચાર હોય. આત્માની રુચિ પરાણે થતી નથી. સંસારની મમતા ઘટાડી થોડા મહિના નિવૃત્તિ લઈ સત્-સમાગમ કરે, અને વારંવાર શાસ્ત્રનું વાંચન, મનન અને તે સંબંધીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com