________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૪) હવે તેનો ગુલાંટ મારીને અર્થ- સંસારની સચિને પુરુષાર્થ વડે ટાળીને હું શુદ્ધ જ્ઞાનઘન છું, પુણ્ય-પાપ, રાગાદિરહિત અક્રિય જ્ઞાનમાત્ર છું, એવી યથાર્થ શ્રદ્ધા અને પરથી જુદાપણાનો વિવેક વર્તતાં, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની ભાવના ઉત્કૃષ્ટ રુચિ વડે ભાવે છે. તેને બીજું સાંભરે નહીં. બાહ્ય દેહાદિ નિમિત્તકારણ તથા કાળના કારણને જાએ નહીં, કારણ કે આ તો અપૂર્વ માંગલિક છે, પૂર્ણ સ્વરૂપના લક્ષનો ઉત્સાહ છે.
જુઓ, તો ખરા ! ગૃહસ્થ વેષ છે, ૨૯ વર્ષની ઉંમર છે, યુવાન અવસ્થા છે; છતાં અતીન્દ્રિય ભાવનામાં આખો આત્મા અને સાધક સ્વભાવ ઘોળાય છે. પાંચ વર્ષ પછી શ્રીમદ્ સમાધિ મરણ કરવાના છે. એ અપૂર્વ જાગૃતિ કેવી હશે! એક ભવે મોક્ષસ્વરૂપ પ્રગટ થશે એ ભાવના, એ જાતનો વિશ્વાસ અને દઢતર ઉત્કૃષ્ટ રુચિ કેવી હશે! એનો વિચાર, મનન, ચિંતવન આત્મા વિષે કરવા યોગ્ય છે. યથાર્થ શ્રદ્ધા થયા પછી તેની રુચિ અને પુરુષાર્થ વધતો જાય. એ જાતની પ્રગટ ચારિત્રદશા (નિગ્રંથ મુનિદશા) વર્તમાનમાં ન વર્તી શકાય તે જાદી વાત છે, પણ તેની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com