________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬) કયારે હું વિચારીશ આ સનાતન શાશ્વત આત્મધર્મનો સદભુત વ્યવહાર છે. “એ અમ કુળવટ રીત જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું” અનંત જ્ઞાની પુરુષો જે મોક્ષમાર્ગમાં પ્રવર્તીને મોક્ષપદને પામ્યા તે જ પંથે કયારે વિચરશું? તે ભાવનામાં અનંત જ્ઞાની ભગવંતોનો વિનય છે, અને પોતાની પામર અવસ્થાનો ખ્યાલ છે, કારણ કે બેહદ સામર્થ્યનું જ્ઞાન જાણ્યું છે પણ હુજી પ્રગટયું નથી. આ પુરાણાપુરુષની (સપુરુષની) આરાધના છે. આમાં કેટલી નિર્માતા છે! પોતાને આત્મધર્મનો ગુણ પ્રગટયો છે તેથી અનંત જ્ઞાનનું બહુમાન કરે છે. તે પરમાર્થનો આદર છે.
શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગ્દર્શનને નમસ્કાર કરતાં લખે છે કે,–“હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે, તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આ પામર પ્રત્યે અનંત-અનંત ઉપકાર કર્યો છે. એમ ગુણનું બહુમાન, સત્કાર, વિનય કર્યો છે. તેમાં પરમાર્થે પોતાના ગુણનો આદર છે. શ્રીમદ્રનો એક દોઢ લીંટીનો ટુકડો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com