________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૯) નિજમાંથી જાગ્યો પછી જડ કર્મના અનંત રજકણો તેને રોકી શકે નહીં. તેરમે ગુણસ્થાને ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે, અને તેથી ભવનાં બીજનો નાશ થાય છે. ત્યાં અઘાતી ચાર કર્મ (વેદનીય, આયુ, નામ અને ગોત્ર) બળેલી દોરડી જેવાં બાકી રહ્યા છે, પણ તે સ્વરૂપને વિનરૂપ નથી.
“સર્વ ભાવ જ્ઞાતા-દષ્ટા સહુ શુદ્ધતા;” નિશ્ચયથી કેવળ નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તેમ સમજવું તે ખરેખર પરમાર્થ છે. પણ અજ્ઞાની એમ માને છે કે કેવળજ્ઞાન થાય એટલે લોકાલોક દેખાય; એમ તેને લોકાલોક દેખવા ઉપર માહાભ્ય આવે છે. તે બાહ્યદષ્ટિ (વ્યામોહ) છે. પર શેયોને જાણવાનો વ્યામોહ પરાશ્રિત ભાવ કહેવાય, તેથી એમ થયું કે ચેતનમાં કાંઈ માલ નથી એમ અજ્ઞાની માને છે, ત્યારે જ્ઞાનીને પોતાના સ્વરૂપના અખંડ જ્ઞાન ઉપર દષ્ટિ છે. પરણેયોને જાણે તેથી કેવળજ્ઞાન છે એમ કહેવું તે નિમિત્તનો ઉપચાર છે. પોતાના પુરુષાર્થથી આખું કેવળજ્ઞાન સ્વાધીનપણે પ્રગટ થાય છે, તેમાં પરને જાણવાની ઈચ્છા નથી. જ્યાં કેવળ પોતાના સ્વભાવનું અખંડ નિર્વિકલ્પ જ્ઞાન વર્તે છે ત્યાં પર વસ્તુ એટલે જગતના અનંત પદાર્થો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com