________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૮) વર્તે છે. એ સ્વરૂપની પૂર્ણતા કયારે પ્રગટે તેની આ ભાવના છે. ૧૪
હવે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે આત્માની દશા કેવી થાય, તે જણાવે છે:ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં,
ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા-દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.
અપૂર્વ . ૧૫ તેરમે ગુણસ્થાને પૂર્ણ શુદ્ધ પવિત્ર કેવળજ્ઞાન અને આત્માની સ્વતંત્ર દશા થાય છે. ભવનાં બીજનો નાશ થાય છે, ચાર ઘાતકર્મનો ક્ષય થાય છે. અનંત ચતુષ્ટય (અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય) ને ઘાતવામાં (રોકવામાં) તે ચાર ઘાતકર્મ ( જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય) નિમિત્ત છે. પોતે ઊંધો પરિણમે તો તે નિમિત્ત કહેવાય છે. તે કર્મો ઘનઘાતી છે, અને આત્મા જ્ઞાનઘન છે. કર્મનો બંધસ્વભાવ છે, આત્માનો મોક્ષસ્વભાવ છે. મોક્ષ એટલે મુક્તિ. એ સ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com