________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩)
નિર્મળ જ્ઞાનમાં સહેજે જણાય છે; એ ન્યાય આ ગાથામાં આવી જાય છે.
સર્વ ભાવ જ્ઞાતા-દષ્ટા સહ શુદ્ધતા” એટલે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એક સમયમાં, તે કેવળજ્ઞાનમાં સામાન્ય અને વિશેષપણે એક સાથે સહેજે જણાય છે-દેખાય છે.
જગતમાં અનંત જીવ અને અનંત અજીવ દ્રવ્યો સ્વતંત્ર છે, તેમાં દરેક દ્રવ્યમાં સામાન્ય વિશેષપણું છે. સામાન્ય સત્તામાત્ર અવલોકનવ્યાપારરૂપ દર્શનગુણમાં સર્વ વિશ્વનું દેખવું સહેજે થાય છે. તે જ સમયે તે બધા દ્રવ્યોની એક સમયમાં વર્તતી ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ અવસ્થા વિશેષપણે જ્ઞાન ઉપયોગમાં સહજપણે જણાય છે. આ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી પોતાનું અખંડ જ્ઞાન-દર્શન એક સાથે વર્તે છે.
આત્માની શ્રદ્ધા થયા પછી સ્વરૂપની રુચિભાવના વધતાં પૂર્ણ સ્થિરતા અવલંબન વડે પૂર્ણ શુદ્ધતા અહીં પ્રગટી છે. ભાવમોક્ષ દશા તેરમે ગુણસ્થાને છે, ત્યાં અનંતજ્ઞાન અંનતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય દશા “સહુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com