________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) શાંતરસ ત્યાં ઘોળાતો હોય છે.
જ્યાં વીતરાગદશા પૂર્ણ કરવાનું વીર્ય સ્વરૂપમાં ઘોળાવા લાગ્યું છે ત્યાં “પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો ” એવી દશા થાય છે. જે શક્તિરૂપે છે તે પૂર્ણ સામર્થ્યરૂપે પ્રગટતાં સહજ અનંત આનંદ સ્વરૂપ અને કેવળજ્ઞાન નિધાન (લક્ષ્મી) પ્રગટે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” માં એવું કહ્યું છે કે“કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્ત જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” | ૧૧૩
તે કેવળજ્ઞાનમાં પરને જાણવાનું લક્ષ કે વિકલ્પ નથી, છતાં પર જણાય છે એવો સહજ સ્વભાવ છે. મારા સ્વભાવમાં બેહદ-અપરિમિત રમણતારૂપ કેવળજ્ઞાન ભર્યું છે. તે પૂર્ણતાના લક્ષ પુરુષાર્થ ઉપાડી પૂર્ણ સ્થિર થાઉં તો કેવળજ્ઞાન
જ્યોતિ અને વીતરાગ સર્વજ્ઞ પરમાત્મપદ પ્રગટે એમ સાધક જાણે છે. પૂર્ણ શુદ્ધ ચેતના સ્વરૂપ એવું કેવળજ્ઞાન એ જીવનું નિધાન છે. કેવળજ્ઞાનને અનંતચક્ષુ અથવા સર્વચક્ષુ પણ કહેલ છે.
મનુષ્યના એક દેહ જેટલા ક્ષેત્રમાં આત્માના અસંખ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com