________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૪) થાય છે, ત્યાંથી સીધું બારમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાં મોહનો ક્ષય થઈ તેરમાં ગુણસ્થાને જીવ સયોગી કેવળી, જિન, વીતરાગ, સર્વજ્ઞ, ભગવાન થાય છે, ત્યાં અનંત ચતુષ્ટય ગુણ પૂર્ણપણે પ્રગટ થાય છે. આ ગાથામાં પ્રથમ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનના છેલ્લા સમયની વાત છે.
મોહકર્મને સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપી છે. તે સમુદ્રનું માપ બેહદ વિસ્તારવાળું છે. બે હજાર ગાઉનો એક જોજન, એવા અસંખ્યાત જજનનો આ મહાસમુદ્ર છે. આ મધ્યલોકને તિરછોલોક કહેવામાં આવે છે. તેમાં જંબુદ્વીપ એક લાખ જોજન વિસ્તારવાળો ગોળ ચૂડી આકારે છે, તેને ફરતા વીંટળાયેલા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોની પરંપરા છે. તેમાં છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે.
સાધક એમ વિચારે છે કે જેમ મોહ મહાસમુદ્ર જેવો છે, તેમ મારામાં તેનાથી પણ અનંતગુણી અપરિમિત–બેહદ શક્તિ છે; તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું, કે જેથી મોહ કર્મનો મહિમા, તેની અસર સર્વથા ટળી જાય; અને હું શુદ્ધ પવિત્ર જ્ઞાનઘન છું તેવો થઈ રહું સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્રમોહનો સ્વયમેવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com