________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૨)
તા. ૫-૧૨-૩૯ હવે આ (ચૌદમી) ગાથામાં કેવળજ્ઞાન પ્રગટાવવાની ભાવના કરે છેમોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહુ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજકેવળજ્ઞાન નિધાન જો.
અપૂર્વ . ૧૪ના જેમ રાજમહેલમાં જવા માટે પગથિયાં હોય છે, તેમ પોતાનું સહજ સ્વરૂપ-સ્વરાજમહેલ છે, તેમાં જનારનું લક્ષ પોતાના પૂર્ણ પવિત્ર મોક્ષસ્વરૂપમાં છે. મહેલમાં જવાના લક્ષે નીચેનું પગથિયું છૂટતું જાય છે તેમ રાજમહેલમાં જવા માટે ચૌદ ગુણસ્થાન (ગુણશ્રેણિ ) રૂપ પગથિયાં છે. પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વ નામે છે; તે ગુણસ્થાનના બહિરાત્મા જીવોને પોતાના વાસ્તવિક આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. હું કેવળ જ્ઞાતા-દષ્ટા, વીતરાગ, ચિદાનંદ, શાશ્વત છું મારામાં જ સ્વાધીન સુખ, બેહદ આનંદશાંતિ છે, એવું નહિ માનતો અને પર વસ્તુ જે દેહાદિ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ તેને પોતાનાં માનતો થકો દેહાદિ બાહ્ય સંયોગોમાં ઠીક-અઠીકપણાની,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com