________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૯) વિકલ્પ-રાગનો અંશ નથી; સૂક્ષ્મ કષાય અંશ છે, તે કેવળીગમ્ય છે. અહીંથી ઉપર એટલે કે આઠમી ભૂમિકાએ ક્ષપકશ્રેણી માંડે છે, ઉપશમની વાત નથી. ચારિત્રમોહનો ક્ષય કરવાના પરિણામ તે ક્ષપકશ્રેણીનો ઉગ્ર પુરુષાર્થ છે. આ ક્ષપકશ્રેણી એટલે શુક્લ ધ્યાનનો પ્રથમ પાયો; આ ગુણશ્રેણીમાં સમયે સમયે અનંતી પરિણામવિશુદ્ધિ અધિક અધિક વધતી જાય છે અને જેમ સોનાને ચોકખું કરતી વખતે ભઠ્ઠીમાં નાંખેલ પંદરવા સુવર્ણને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે કે તુરત સોળવલું શુદ્ધ સુવર્ણ થઈ જાય છે, તેમ બારમે ગુણસ્થાને શુક્લધ્યાનનો બીજો પાયો શરૂ થતાં ચાર ઘાતિ કર્મોનો ક્ષય થઈ સંપૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન પ્રગટે છે. એક સમયમાં સર્વ વિશ્વ (સર્વ જીવ અજીવ વસ્તુ સામાન્ય-વિશેષપણે) સર્વજ્ઞપ્રભુના જ્ઞાનમાં પ્રતિભાસે છે. આ કેવળજ્ઞાન યુક્તિ, આગમ પ્રમાણ અને સ્વાનુભવથી સિદ્ધ છે, તેમ છતાં સાધારણ બુદ્ધિવાળા જીવોને સમજવું કઠણ છે.
અહીં ચારિત્રમોહનો ક્ષય અને શુક્લધ્યાનની ક્ષપકશ્રેણીના ઉત્કૃષ્ટ પુરુષાર્થની વાત છે. બારમાં ગુણસ્થાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com