________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૫ )
સમાધિસ્થ સ્વરૂપસ્થિરતા-રમણતાનો અપૂર્વ અવસર કયારે આવશે? તેની ભાવના અહીં કરી છે.
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.
અતિ મલિન એક રજકણથી શરૂ કરીને પુણ્યમાં ઉત્કૃષ્ટ એવા વૈમાનિક દેવની ઋદ્ધિ સુધી, એ સર્વ જડ પુદ્ગલની વિકારી જાત છે, તે મારા ચૈતન્ય સ્વરૂપને ગુણ કરનાર નથી. વૈમાનિક દેવના પુણ્યની ઋદ્ધિ સૂર્ય, ચંદ્ર આદિના વિમાનથી ઘણી અધિક હોય છે, તેનું વર્ણન શાસ્ત્રમાં છે. અતિ ઉજ્જવલ એવા ઘણા પુણ્યના ગંજનો યોગ ત્યાં છે. તેનાથી પણ અધિક પુણ્યનાં કર્મ રજકણો હોય તોપણ મુનિને તેનો મહિમા નથી. જ્ઞાતા રહી જાણ્યું છે કે પુદગલની અનેક વિચિત્રતાથી ચૈતન્યને અંશમાત્ર ગુણ નથી. તેમાં રાગ વડે હું અટકું તો મને ઉપાધિ બંધન થાય. પોતાને જે અનંત સુખસ્વરૂપ લક્ષમાં છે તે રૂપ પૂર્ણ પવિત્ર થવાનો પુરુષાર્થ વધારવાનો, સ્વરૂપ પ્રગટ કરવાનો ઉત્સાહ વર્તે છે. કોઈ નિમિત્તમાં અટકવાનો ભાવ નથી. આ બારમી ગાથા સુધી ચારિત્રમોહનો ક્ષય કરવાની ભાવના છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com