________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૧૨ )
(૮
કરવા માગે છે. તેમ મોક્ષનો ઈચ્છક સંસારભાવથી ગુલાંટ મારીને સવળો પડયો પૂર્ણ સમતાની ભાવના ભાવે છે કે;– “ સિદ્ધા સિદ્ધિં મન વિશંતુ ” સમતાવાળો ભાવે કે મારું પૂર્ણ શુદ્ધસ્વરૂપ શીઘ્ર પ્રગટ થાઓ. એ ભાવના ધારાવાહી અખંડપણે જ્યાં ઘૂંટાતી હોય ત્યાં તે ભાવના સંસારના ભાવને ટકવા ન દે. અનાહારક ચૈતન્યની રમણતામાં બેહદ પુરુષાર્થની જમવટ ઘૂંટાતી હોય ત્યાં એવી અપૂર્વ દશાનો અંશ ઉઘાડીને ધર્માત્મા તેવી ભાવનામાં વર્તે છે. ઉત્કૃષ્ટ સાધક દશાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ સાદિ અનંતકાળ સુધી શાશ્વત નિરાકુળ અનંત સુખમાં જઈને ઠરે ત્યાં સુધી હોય. મુનિપણામાં ઘોર પરિષહની વાત સાંભળી અજ્ઞાની મૂંઝાય છે, ત્યારે ધર્માત્મા સમ્યગ્દષ્ટિ તેવા ઘોર તપ તથા પરિષહ સામે કહે છે કે, મારામાં બેહદ અનંત શક્તિ છે, એક સમયની અવસ્થામાં અનંત સમતા ભરી છે. અનંતકાળ આહાર ન મળે તોપણ જ્ઞાતાપણે ટકવાનું બેહદ સામર્થ્ય ચૈતન્યમાં છે. સ્વભાવને હદ શી? જેનો બેહદ સ્વભાવ તેમાં હ્રદ હોય નહીં.
અનાદિ-અનંત, બેહદ
ચૈતન્ય સામર્થ્યથી પૂર્ણ
સાતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com