________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪)
નહિ ઉત્પન્ન થયેલો એવો અવસર (ભાવકાળ) કયારે આવશે? એવો મનોરથ સેવે છે. મનોરથ થવામાં મન તો નિમિત્ત છે, પણ તેનો જ્ઞાન વડે નકાર કરી સ્વરૂપવિચારની જાચિકા સાધક જીવ વધારે છે. સ્વરૂપની ભાવનાનાં (મનોરથનાં) ચક્ર ચડે છે તેની સાથે સ્વભાવ પરિણતિનાં ચક્ર ચડે છે, તે ભાવના સાથે મનનું નિમિત્ત છે, તેમાં રાગનો ભાગ છે, તેથી વિચારમાં ક્રમ પડે છે અને તેમાં લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે, પણ તેનો પ્રથમથી જ નકાર છે. ભેદનો કે વિકલ્પનો ત્યાં આદર નથી પણ અતીન્દ્રિય ભાવ મનોરથની સ્વરૂપ ચિંતવના છે. તત્ત્વસ્વરૂપની ભાવના વિચારતાં વચ્ચે મનનું નિમિત્ત આવે છે. પણ પૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ જેવું છે તે લક્ષ રાખીને પૂર્ણતાને લક્ષે આત્મસ્વરૂપની ભાવના શ્રીમદ્ વધારે છે. એવી યથાર્થ નિર્ચથદશા, સ્વરૂપસ્થિતિનો અપૂર્વ અવસર કયારે આવશે, એ પોતાના સ્વભાવની ભાવના છે.
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો” અર્થાત્ અભ્યતર રાગ-દ્વેષની ગ્રંથિથી અને બાહ્યથી (સ્ત્રી, ધનાદિ તથા કુટુંબથી ) નિવૃત્ત થાઉં એ ભાવના ભાવે છે. ધન્ય તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com